કિન્નર વિશે આપણે બધા જાણીએ છીએ. તેમની સાથે જોડાયેલી એક કહાની અનુસાર, આજ સુધી તેઓ એક પરંપરાને આગળ ધપાવી રહ્યા છે જેને ખૂબ જ ઓછા લોકો જાણે છે. હકીકતમાં, કિન્નરો એક રાત માટે લગ્ન કરે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે કિન્નરો કોઈ બીજા સાથે નહીં પણ એક રાત માટે તેમના ભગવાન સાથે લગ્ન કરે છે. તેમના દેવતાનું નામ ઇરાવાન છે, જે અર્જુન અને નાગ કન્યા ઉલુપિના સંતાન છે.
મહાભારત યુદ્ધ પહેલા પાંડવોએ મા કાળીની પૂજા કરી હતી જેમાં એક રાજકુમારની બલિ ચઢાવી દેવાની હતી. જ્યારે કોઈ રાજકુમાર આગળ ન આવ્યો ત્યારે ઇરાવાને કહ્યું કે તે બલિદાન માટે તૈયાર છે. પરંતુ તેણે એક શરત મૂકી હતી કે તે લગ્ન કર્યા વગર બલિદાન આપશે નહીં.
પાંડવોને સમસ્યા હતી કે કઈ રાજકુમારી એક દિવસ માટે ઇરાવાન સાથે લગ્ન કરશે અને બીજા દિવસે વિધવા થઈ જશે. શ્રી કૃષ્ણએ આ સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું. શ્રી કૃષ્ણ પોતે મોહિનીના રૂપમાં આવ્યા અને ઇરાવાન સાથે લગ્ન કર્યા. બીજા દિવસે ઇરાવાને બલી આપી દીધી અને શ્રી કૃષ્ણએ વિધવા તરીકે વિલાપ કર્યો. આ જ ઘટનાને યાદ કરતાં કિન્નર ઇરવાનને પોતાના ભગવાન માને છે અને એક રાત માટે લગ્ન કરે છે.
કિન્નરના લગ્નન જોવા હોય તો તમારે તમિલનાડુના કુવગામ જવું પડે. કારણ કે ત્યા દર વર્ષે તામિલ નવા વર્ષની પહેલી પૂર્ણિમાથી કિન્નરોના વિવાહનો ઉત્સવ શરૂ થાય છે જે 18 દિવસ ચાલે છે. 17મા દિવસે કિન્નરોના લગ્ન થાય છે. સોળે શણગાર કરેલા કિન્નરોને મંગળસૂત્ર પહેરાવે છે અને તેમના વિવાહ થઈ જાય છે.