- અજાણ્યા ચોરોએ હુમલા બાદ મહારાજને રૂમમાં બંધક બનાવ્યા.
- ગંભીરરીતે ઘાયલ મહંતને સારવાર માટે ખસેડાયા
- માથામાં ઇજા થતાં 13 ટાંકા લેવાયા.
- 55 હજાર રોકડા અને એક તોલા સોનાની ચેન સહિત માલસામાન ની ચોરી
- ચોરોએ મહારાજને રૂમમાં પુરી દઈ ખીચડી બનાવી ખાધી
- સમગ્ર મામલે શામળાજી પોલીસને જાણ કરાઈ
અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતે આવેલા ગૂરૂ દત્તાત્રેય ટેકરી ના મહંત પર હુમલો થયો હતો. અજાણ્યા શખ્સોએ હુમલો કર્યા બાદ મહારાજને રૂમમાં બંધક બનાવ્યા હતા. અને 55 હજાર રોકડા અને એક તોલા સોનાની ચેન સહિત માલસામાનની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે મહારાજ પર હુમલો થતાં મહારાજને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.