લવ જેહાદ/ હિન્દુ યુવતીનું લગ્ન બાદ બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર, બે જેઠ ધ્વારા દુષ્કર્મ

સુરત (Surat) ના લીંબાયત વિસ્તારમાં લવ જેહાદ Love Jihadનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 23 વર્ષની હિન્દુ યુવતીને 6 વર્ષ અગાઉ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન તો કર્યા હતા પરંતુ લગ્ન બાદ યુવતીનું  બળજબરીથી ધર્માંતરણ કરાવી નમાઝ પઢવા અને કુરાન વાંચવા દબાણ કરી સતત માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. આ […]

Gujarat Surat
હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા જેઠે અવાર નવાર કર્યું દુષ્કર્મ હિન્દુ યુવતીનું લગ્ન બાદ બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર, બે જેઠ ધ્વારા દુષ્કર્મ

સુરત (Surat) ના લીંબાયત વિસ્તારમાં લવ જેહાદ Love Jihadનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 23 વર્ષની હિન્દુ યુવતીને 6 વર્ષ અગાઉ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન તો કર્યા હતા પરંતુ લગ્ન બાદ યુવતીનું  બળજબરીથી ધર્માંતરણ કરાવી નમાઝ પઢવા અને કુરાન વાંચવા દબાણ કરી સતત માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. આ ઉપરાંત પતિની ગેરહાજરીમાં બે જેઠ દ્વારા શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યો હતો.

પરિણીતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં તેને ઉલ્લેખ કર્યો છે કે, આરોપી વાજીદ ઉર્ફે ચીયા ઐયુબ મલિકે ફરિયાદીને લલચાવી ફોસલાવી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ત્યારબાદ આરોપીએ ફરિયાદી સાથે લગ્ન કર્યા હતા. લગ્નબાદ આરોપી સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને સાસરીયા દ્વારા પરિણીતાને લગ્નના બે મહિના બાદ ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યો. જો કે લગ્નના બે માસ સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી અને પરિણીતા હિન્દુ હોવાના કારણે તે મંદિરમાં જવાનું કહેતી હતી પરંતુ સાસરિયાંઓ મુસ્લિમ હતા તેથી તેઓ મહિલાને મંદિરે જવા માટેની મનાઈ કરતા હતા.

જોકે આ સમગ્ર મામલે સાસરીયાઓ પરિણીતાને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરી ધર્મપરિવર્તન કરાવવા માટે લઈ ગયા હતા અને જ્યાં પરિણીતાનું ધર્મપરિવર્તન કરાવ્યા બાદ તેનું નામ બદલવામાં આવ્યું હતું અને મુસ્લિમ નામ જોયા રાખવામાં આવ્યું હતું. સાસરીયાઓ પણ પરણીતાને આ મુસ્લિમ નામથી જ બોલાવતા હતા. આ ઉપરાંત મુસ્લિમ પરિવાર દ્વારા આ હિન્દુ પરિણીતાને નમાજ પડવા અને કુરાન વાંચવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું આ ઉપરાંત માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો.

તો બીજી તરફ આ પરીણીતાને તેના સાસરિયાંઓ દ્વારા ઘરકામ બાબતે નાની-નાની વાતોમાં પણ ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાએ તેના પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હોવાના કારણે તે પોતાના પરિવારના સભ્યોને કંઈ કહી શકતી ન હતી. કારણ કે પરિણીતાના ભાઈ-બહેન તેની સાથે બોલતા ન હતા તો બીજી તરફ પરણિતાને તેની બંને જેઠાણીઓ પણ ત્રાસ આપતી હતી અને આ બાબતે જો તે પોતાના પતિને વાત કરતી હતી. તો પતિ પણ પરિવારના સભ્યોની તરફેણ કરતો અને પરિણીતાને કહેતો કે જો આ બાબતે કોઈને કહીશ તો હું તને તારા ઘરે મોકલી દઈશ. ત્યારબાદ પતિએ પરણીતાને ઢીકા મૂકીને માર પણ માર્યો હતો અને આ મારામારીથી કંટાળીને પરણીતા મધ્યપ્રદેશમાં રહેતા તેના ભાઈના ઘરે ચાલી ગઈ હતી અને ત્યારબાદ થોડા સમય પછી પતિ પરણીતાને લેવા માટે ગયો હતો. ત્યારબાદ ફરી પરણીતા તેના પતિના ઘરે આવી ગઈ હતી અને ફરીથી સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવાનું યથાવત જ હતું. પતિ, સાસુ, સસરા, જેઠ જાવેદ આરીફ, જેઠાણી શબાના અને મુસ્કાન પરણીતાને ત્રાસ આપતા હતા.

પરિણીતાનો પતિ જેલમાં હતો. તે સમયે જેઠ જાવેદ અને આરીફ બંને પરણીતાની એકલતાનો લાભ લઇ ઘરમાં જ પરિણિતાને ધાક ધમકી આપી તેની શારીરિક છેડતી કરતા હતા અને અલગ અલગ સમયે ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ બાંધી તેનું શારીરિક શોષણ પણ કરતા હતા. ત્યારબાદ જાવેદની બે પત્ની અને સાસુ સસરા પરિણીતાને કહેતા હતા કે અમારામાં આ બધું થાય જ છે.

પરિણીતાના જેઠ જાવેદ અને આરીફે લગભગ 1 વર્ષ સુધી પરિણીતાને ધાક ધમકી આપી ઘરના ઉપરના રૂમમાં લઈ જઈ અલગ-અલગ સમયે તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને પરિણીતાનો પતિ 15 મહિના બાદ જેલમાંથી છૂટ્યો અને ઘરે આવ્યો ત્યારબાદ પરિણીતાએ આ વાત તેના પતિને કરી હતી પરંતુ પતિએ પોતાની પત્નીની વાત માની ન હતી. પતિ જેલમાંથી છૂટીને આવ્યાના 15 દિવસમાં જ આ પરિણીતા પ્રેગનેન્ટ થઈ ગઈ હતી અને પરિણીતાએ આ વાત પોતાના પતિને કહ્યું હતું. ત્યારે પતિએ કહ્યું કે “બચ્ચા મેરા નહિ હૈ તું બચ્ચા ગીરા દે અને અબોરસન કરા દે” અને ત્યારબાદ ફરી સાસરીયાઓ પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા અને અંતે સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતા 15 એપ્રિલ 2023 ના રોજ પોતાના માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી અને સમગ્ર મામલો માતા-પિતાને કહેતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ બાબતે પોલીસે પતિ વાજીદ ઉર્ફેચીયા મલેક, સસરા અયુબ મલેક, સાસુ ફરીદા મલેક, જેઠ જાવેદ મલેક, જેઠ આરીફ મલેક, જેઠાણી સબાના મલેક અને જેઠાણી મુસ્કાન મલેક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.