છેલ્લા ઘણા વર્ષોથી આંતકવાદીઓનું ગઢ બની ચુકેલા સીરિયા થોડા દિવસોથી શક્તિશાળી દેશો માટે યુદ્ધનું મેદાન બની ગયું છે. આતંકીસંગઠન આઈએસઆઈના ગઢનો ખાતમો કરવા માટે દુનિયાના મોટા મોટા દેશો ત્યાં પોતાનું શક્તિ પ્રદર્શન કરવામાં લાગી ગયા છે. સિરિયામાં ઈઝરાયેલી હુમલામાં 15 વિદેશી સમર્થકોના મોત થયા છે, જેમાં 8 ઈરાનીઓ પણ સામેલ છે.
ઈઝરાયેલે આરોપ લગાવતા કહ્યું હતું કે ઈરાની સુરક્ષાદળોએ સીરિયા બોર્ડર પર તેમના સૈન્ય સ્થળોને નિશાન બાનાવ્યું છે. નેતન્યાહૂ સરકારનો દાવો છે કે ઈઝરાયેલ અધિકૃત ગોલન હાઈટ્સમાં સીરિયાથી અડીને આવેલ તેમના સૈન્ય સ્થળો પર એટેક કર્યો જેમાં 20 રોકેટ અને મિસાઈલો પણ છોડવામાં આવી. સીરિયાએ ઈઝરાયેલ પર મિસાઈલો છોડવાનો આરોપ લગાવ્યો છે.
સીરિયાના અધિકૃત એજન્સી SANAએ જણાવ્યું કે કિસવે તરફ ફેંકવામાં અઆવેલી કેટલીક મિસાઈલોને સૈન્યે રસ્તામાં જ અટકાવી દીધી. સમાચાર એજન્સી SANAએ મેડિકલ સુત્રોના હવાલાથી કહ્યું છે કે ઈઝરાયેલી અતિક્રમણના પરિણામ સ્વરૂપે આ હુમલામાં બે નાગરિક, દમિશ્ક સાથે જોડાયેલ હાઈવે પર માર્યા ગયા હતાં. સીરિયાની સેનાએ દમિશ્કની નજીકના એક જિલ્લા પર બે છોડવામાં આવેલી મિસાઈલોને અટકાવી દેવામાં આવી હતી.
એક ન્યુઝ એજન્સીએ દાવો કર્યો કર્યો હતો કે સીરિયાએ પોતાને બચાવવા માટે હાવાઈ ફાયર કર્યું જેના દ્વારા ઈઝરાયેલઈ તરફથી છોડવામાં આવેલી મિસાઈલોને અટકાવી દેવામાં આવી હતી. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે જેમાં આઠ જેવા ઈરાની નાગરીકો પણ શામેલ છે.