Protest/ કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ,સરકાર નહીં માને તો….

ખેડુત નેતા રાકેશ ટિકૈતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોની સાથે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે

Top Stories India
1 4 કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ,સરકાર નહીં માને તો....

ખેડુત નેતા રાકેશ ટિકૈતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોની સાથે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગટ તેમજ રાકેશ ટિકૈત અને મહત ચૌબીસી ખાપ પંચાયતના વડાએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે.

પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, “આજની પંચાયતમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારા ખાપના લોકો અહીં રોજ આવશે, જો સરકાર 15 દિવસમાં સંમત નહીં થાય તો 21 મેના રોજ ફરીથી બેઠક થશે અને તેમાં બેઠકમાં આગળની રણનીતિ શું હશે તે નક્કી કરવામાં આવ્યું છે. ખાપ પંચાયતના વડાએ કહ્યું કે ખાપ પંચાયત હોય કે ખેડૂત સંગઠન, અમે બધા બહારથી કુસ્તીબાજોએ શરૂ કરેલા સંઘર્ષને સમર્થન આપીશું. અમે તેમનું આંદોલન મજબૂત કરીશું. બ્રિજભૂષણનું રાજીનામું લઈને તેને જેલમાં ધકેલી દેવો જોઈએ જેથી અમારી છોકરીઓ પર હાથ ઉપાડનારને કોર્ટ દ્વારા સજા મળવી જોઈએ. સરકારને 21 મેની સમયમર્યાદા આપી છે. આ પછી મોટો નિર્ણય લેવામાં આવશે.

તેમણે કહ્યું, “અમારા ગામના લોકો દિવસે આવશે અને રાત્રે નીકળી જશે. જેમને રાત્રી રોકાણ કરવાનું હોય તેઓ પણ રહી શકે છે. જે સમિતિ નક્કી થઈ ચૂકી છે, તે જ સમિતિ આ આંદોલન ચલાવશે. અમે બહારથી સમર્થન કરીશું. જો સરકાર 21મી સુધી મંત્રણા નહીં કરે અને ઉકેલ નહીં કાઢે તો ત્યાર બાદ ફરીથી રણનીતિ ઘડવામાં આવશે. આ બાળકો આપણી અને દેશની ધરોહર છે. અમે શક્ય તમામ મદદ કરીશું. આજે સાંજે 7:00 કલાકે કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે. આપણે આ માટે તૈયાર રહેવું પડશે. દેશભરમાં આંદોલન ચલાવવા તૈયાર છે. 21મીએ 5 હજાર ખેડૂતો જંતર-મંતર સુધી કૂચ કરશે.