ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં તંત્રની શરમજનક ઘટના સામે આવી છે. મૈનપુરીના ઘિરોર વિસ્તારમાં ડોક્ટરે પહેલા કિશોરીને ખોટું ઈન્જેક્શન આપ્યું, ત્યારબાદ તેની તબિયત બગડી અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. આટલું જ નહીં, આ ઘટના બાદ હોસ્પિટલના સ્ટાફે કિશોરીના મૃતદેહને હોસ્પિટલની બહાર પાર્ક કરેલી બાઇક પર નિર્દયતાથી રાખી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
પરિવારજનોનો આરોપ છે કે મૈનપુરીના ઘિરોર વિસ્તારમાં કિશોરીને ડોક્ટરે ખોટું ઈન્જેક્શન આપ્યું, જેના પછી તેનું મોત થયું હતું. ડોક્ટરોએ આ અંગે યુવતીના પરિવારને જાણ પણ કરી ન હતી. આટલું જ નહીં મામલો છુપાવવા માટે સ્ટાફે કહ્યું કે તેની તબિયત બગડી ગઈ છે અને તેને બીજી કોઈ હોસ્પિટલમાં લઈ જાઓ. ત્યાર બાદ ડોક્ટર અને સ્ટાફ બળજબરીથી બાળકીના મૃતદેહને હોસ્પિટલની બહાર લઈ ગયા હતા.
यूपी मैनपुरी में एक डॉक्टर के गलत इंजेक्शन लगाने से एक महिला की मौत हो गई.
देखिए कैसे असंवेदनशील हॉस्पिटल स्टाफ ने पीड़िता को अस्पताल से बाहर निकाल दिया , जिसके बाद बाइक पर महिला ने तड़प तड़प कर दम तोड़ दिया pic.twitter.com/L8z7cw5Gwy
— Priya singh (@priyarajputlive) September 28, 2023
હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સીએમઓએ હોસ્પિટલનું લાઇસન્સ રદ કરીને તેને સીલ કરી દીધું છે. ડોકટરો અને ઓપરેટરોને ત્રણ દિવસમાં જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ઘિરોર પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા ઓયમાં રહેતા ગિરીશ યાદવની પુત્રી ભારતી (17)ની તબિયત મંગળવારે બગડી હતી. મૃતકની કાકીએ જણાવ્યું કે ભારતીને મંગળવારે તાવ આવ્યો હતો જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બુધવારે તે એકદમ ઠીક હતી પરંતુ ડોક્ટરે તેને ઈન્જેક્શન આપતા જ તેની તબિયત બગડી અને તેનું મોત થઈ ગયું. તેમના મૃત્યુ બાદ ડોક્ટરોએ તેમની બેદરકારી છુપાવવા કહ્યું કે તેમની હાલત ગંભીર છે અને તેમને અહીંથી લઈ જવા જોઈએ. અમે કંઈ કરી શકતા નથી. પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરે આ માહિતી આપી ત્યાં સુધીમાં ભારતીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જો કે હજુ સુધી પરિવારજનો દ્વારા સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
આ પણ વાંચો: કાર્યવાહી/ PSI અને રાઇટરને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ, કેમ કર્યા સસ્પેન્ડ?
આ પણ વાંચો: Newspaper/ ખોરાકને પેક કરવા માટે અખબારનો ઉપયોગ બની શકે છે મોટી બીમારીનું કારણ
આ પણ વાંચો: Amit Shah-Guj/ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ગુજરાતમાં, 1,700 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
