ઉત્તર પ્રદેશના ફાર્રુખાબાદ જિલ્લાની ફતેહગઢ સેન્ટ્રલ જેલ હાલ ચર્ચામાં છે. કારણ – ન તો ત્યાં કેદીઓ છે કે ન તો તેમની વાર્તા. સાચું કારણ છે – ત્યાંની જેલનું ભોજન. હકીકતમાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ત્યાં કેદીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા માટે ફાઈવ સ્ટાર રેટિંગ આપ્યું છે.
FSSAI દ્વારા સૂચિબદ્ધ થર્ડ પાર્ટી ઓડિટમાં જેલને ફાઇવ-સ્ટાર ‘ઇટ રાઇટ સર્ટિફિકેટ’ આપવામાં આવ્યું હતું. જેલના ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાનો આ પુરાવો છે. સરળ શબ્દોમાં સમજીએ તો જેલમાં કેદીઓ માટે ગુણવત્તાયુક્ત ખાણી-પીણી તૈયાર કરવામાં આવી રહી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય કુમાર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે FSSAI ની ‘ઈટ રાઇટ’ માન્યતા દર્શાવે છે કે 1,100 કેદીઓને સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવ્યો હતો.
તેમના કહેવા પ્રમાણે, “અમને માર્ચ 2022માં FSSAI તરફથી લાઇસન્સ મળ્યું હતું. ધોરણો અનુસાર, ખોરાક અને સ્વચ્છતા અંગેની સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો હતો. પ્રમાણપત્ર મેળવનારી આ રાજ્યની પ્રથમ જેલ છે.”
લાંબા સમયથી ‘જેલના ભોજન’ વિશે સામાન્ય માન્યતા એવી છે કે ત્યાંની બેરેકમાં કેદીઓને પીરસવામાં આવતું ભોજન સ્વાદિષ્ટ હોતું નથી. રોટલી સખત હોય છે, દાળ પાણી જેવી પાતળી હોય છે અને શાક પણ સારા હોતા નથી. ભૂતકાળમાં પણ ઘણી વખત આવી ફરિયાદો સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો:PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં કેસ દાખલ,સમન્સ જારી કરવામાં આવ્યો
આ પણ વાંચો:રાજગઢ જિલ્લાની મહિલાએ નકલી દસ્તાવેજો દ્વારા સરપંચ પદની ચૂંટણી જીતી,જાણો હકીકત
આ પણ વાંચો: CBI હેડક્વાર્ટરમાં કામ કરતા ડેપ્યુટી લીગલ એડવાઈઝરે કરી આત્મહત્યા, પોતાના જ ઘરમાં લગાવી ફાંસી