રામ રહીમની માનેલી દિકરી હનીપ્રીતની યાચિકા પર સુનવણી બાદ દિલ્લી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષીત કરી દિધો છે. અદાલતે હનીપ્રીતના વકીલને જણાવ્યું હતું કે, હનીપ્રીતે સરેન્ડર કરવું જોઈએ. સુનવણી દરમિયાન અદાલતને હનીપ્રીતના વકીલ પ્રદિપ કુમાર આર્યને અદાલતે કહ્યું હતું કે, તમારે જમાનત માટે પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટ જવું જોઈતું હતું.