ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે આખું ગજરાતમાં અમદાવાદ શહેરમાં કોરોનાનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોના પોઝીટીવ આંકડો ૨૦૦૦ને પાર કરી ચુક્યો છે. તો અત્યાર સુધીમાં અમદાવાદમાં 86 લોકોના કોરોના ને કારણે મોત થયા છે. બીજી બાજુ આ સંખ્યા દિનબ દિન વધી રહી છે. તેણે જોતા અમદાવાદ્દ તંત્ર દ્વારા વધુ એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે શહેરના વધુ બે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. નહેરુ બ્રિજ બાદ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગત મોડી રાતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નહેરુ બ્રિજ બાદ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજ બંધ કરવામા આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.