અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે. શનિવારે તેમણે પોતે ટ્વિટર પર પોતાની માહિતી આપી હતી. અમિતાભે ટ્વિટર પર લખ્યું, ‘ટેસ્ટમાં મારામાં કોરોના વાયરસનાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. હું હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છું. હોસ્પિટલ અધિકારીઓને માહિતી આપી રહી છે. પરિવાર અને સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જો કે તાજેતરમાં સામે આવ્યુ છે કે પરિવારનાં સભ્ય જયા બચ્ચન અને એશ્વર્યા રાયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 77 વર્ષનાં બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલનાં સૂત્રોએ તેમને અલગ વોર્ડમાં રાખવાની માહિતી આપી હતી.
તેમણે એમ પણ લખ્યું છે કે, “છેલ્લા દસ દિવસમાં જે લોકો મારી સાથે સંપર્કમાં આવ્યા છે તેમણે પણ તેમનો ટેસ્ટ કરાવી લે.” અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, આજે મારો અને પિતાજીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમારા બંનેને ખૂબ જ હળવા લક્ષણો હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમે તમામ સંબંધિત અધિકારીઓને જાણ કરી છે અને અમારા કુટુંબ અને સ્ટાફનાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મારો દરેકને અનુરોધ છે કે શાંતિ જાળવી રાખો અને પરેશાન ન બનો. આભાર.
તેમણે બીજા ટ્વીટમાં લખ્યું કે, “ અમે બીએમસી સાથે સંપર્કમાં છીએ અને તેમની સાથે સહયોગ કરી રહ્યા છીએ.” સંદેશાઓ પોસ્ટ થવાની ઇચ્છા છે. અમિતાભ બચ્ચનની પોસ્ટની થોડી મિનિટો પછી, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા વેબસાઇટ પર શુભેચ્છાઓ દ્વારા જલ્દી ઠીક થવાનાં મેસેજ પોસ્ટ થવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.