કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણ આજે સાંજે 4 કલાકે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં તે રાહત પેકેજથી સંબંધિત તમામ માહિતી જણાવશે. કયા કયા ક્ષેત્રમાં 20 લાખ કરોડનો ઉપયોગ કરવામાં આવશે અને તેમને કેટલી રાશિ આપવામાં આવશે તે પણ તે જણાવશે. આ રકમનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે? આપને જણાવી દઇએ કે કોરોના વાયરસ સંકટથી પ્રભાવિત દેશની અર્થવ્યવસ્થા પરત લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલા દેશને સંબોધનમાં 20 લાખ કરોડનાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.