આણંદઃ રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમા ઘણા લોકો પોતાનો જીવા ગુમાવી રહ્યા છે. આણંદના તારાપુરના વાટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ તારાપુર વાટમણ હાઇવે પર ટ્રક વાછળ કાર ઘુસી ગઇ હતી જેમા કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ગંભીર રીતે ઘાયલને સારવાર માટે નજીકના હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ.