પોતાના નિવેદનને લઈને હંમેશા વિવાદોમાં રહેનાર અભિનેતા એજાઝ ખાન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે. શનિવારે મુંબઇ પોલીસે ભડકાઉ નિવેદન આપનાવાના આરોપી અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખાર પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ માનહાનિ, અભદ્ર ભાષા અને પ્રતિબંધિત હુકમોનાં ભંગનો કેસ દાખલ થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.
એજાઝ ખાનનો વિવાદો સાથે લાંબા સમયથી સંબંધ છે, તાજેતરમાં જ તે ટ્વિટર પર #એરેસ્ટ_એજાજ_ખાન નામથી ટ્રેન્ડ થઇ રહ્યો હતો. જણાવી દઇએ કે, એજાઝ ખાન બુધવારે રાત્રે તેના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર લાઇવ આવ્યો હતો, આ દરમિયાન તેણે કંઈક એવું કહ્યું હતું જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એજાઝે કહ્યું, “કીડી મરી ગઈ, મુસ્લિમો જવાબદાર છે, હાથીઓ મરી જાય તો, મુસ્લિમો જવાબદાર છે, દિલ્હીમાં ભૂકંપ આવ્યો, મુસ્લિમો જવાબદાર છે, મતલબ કે બધા મુસ્લિમો જમીનની નીચે ઘૂસી ગયા અને ભૂકંપ આવી ગયો.”
Mumbai: Actor Ajaz Khan has been arrested & case registered against him at Khar Police Station on charges of defamation, hate speech & violation of prohibitory orders. pic.twitter.com/1glDd9y4Q0
— ANI (@ANI) April 18, 2020
તેમણે વધુમાં કહ્યું કે, મુસ્લિમો દરેક વસ્તુ માટે જવાબદાર છે પણ આ ષડયંત્ર કોણ કરી રહ્યું છે, શું તમે ક્યારેય વિચાર્યું છે…? જણાવી દઇએ કે એજાઝ ખાન વિરુદ્ધ મુંબઈનાં ખાર પોલીસ સ્ટેશનમાં કલમ આઈપીસી 153 એ, 117, 121 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એજાઝે તેના વીડિયોમાં લોકોને કોરોના વાયરસ થવાનું કહ્યું છે. એજાઝ ખાનનાં આ વીડિયો બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા તેને ઠપકો મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.