મુંબઇઃ નોટબંધી બાદથી અપમાનિત થઇ રહ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે ભારતીય રિઝર્વ બેન્કના કર્મચારી, શુક્રવારે ગવર્નર ઉર્જિત પટેલને ચિઠ્ઠી લખીને પોતાનો વિરોધ નોધાવ્યો હતો. લેટરમાં નોટબંધીની પ્રોસેસ લાગુ કરવામાં થયેલા મિસ મેનેજમેન્ટ અને સરકાર વતી કરન્સી કો-ઓર્ડિનેશન માટે એક ઓફિસરને એપોઈન્ટ કરવાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ લોકોનું કહેવું છે કે તેનાથી આરબીઆઈની ઓટોનોમી પર અસર પડી છે.