કોરોનાએ પોતાનું ધ્યાન આજકાલ સુરત અને સૌરાષ્ટ્ર પર વિશેષ કેન્દ્રીત કર્યું હોય તેવી રીતે સુરત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રોજને રોજ અઘઘઘ કેસ સાથે પોતાનો વસ્તાર વઘારવામાં આવી રહ્યો છે. જી હા, સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં કોરોનાનાં વધુ પાંચ કેસ સામે આવતા ચિંતામાં વિશેષ વધારો જોવામાં આવી રહ્યો છે. રાજકોટમાં ફરી એક વખત કોરોના વિસ્ફોટ થયાની સ્થિતિ સાથે વિદ્યાકુંજ સોસાયટી, અમીન માર્ગ, નહેરૂ નગર – રૈયા રોડ, દુધસાગર માર્ગ અને મવડી વિસ્તારમાં નવા કેસ નોંધાયા હોવાની વિગતો સામે આવી રહી છે. કોરોનાનાં કેસ શહેરનાં ખૂણે ખૂણે પહોંચી જવા પામ્યા હોય અને કોરોના કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યો હોય રાજકોટ મ્યુનિ. ની ટીમે સ્થિતિ મુદ્દે સમીક્ષા કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….