સુરત : સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. મહિલા કોન્સ્ટેબલે આપઘાત પહેલા સ્યુસાઈડનોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે ‘જેના પર વિશ્વાસ કર્યો એ તૂટી ગયો, મને માફ કરજો’. મહિલા કોન્સ્ટેબલ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર 24 વર્ષીય હર્ષનાબેન ચૌધરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરવા મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દરમ્યાન મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં મહિલા કોન્સ્ટેબલે માતા અને બહેનને ઉદેશીને લખી હતી. મહિલા કોન્સ્ટેબલે લખ્યું કે મને માફ કરજો. મેં જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો એ વિશ્વાસ તૂટી ગયો છે. આ કોના વિશે લખાયુ છે તે મામલે હવે પોલીસ તપાસ કરશે. મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીના પરીવારજનોએ આ મામલે ન્યાયની માંગ કરી છે.
સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરનાર હર્ષનાબેનના કોઈ વ્યક્તિ સાથે સંબંધો હતા કે પછી કોઈ આર્થિક દબાણના કારણોસર તેમણે આ પગલું લીધું છે કે કેમ
તે મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરશે. રાજ્યમાં હાલમાં પીઆઈ ખાચર અને ડો.વૈશાલી જોષીના કેસની ચર્ચાઓ થઈ રહી છે. જેમાં ડો.વૈશાલીએ પીઆઈ ખાચર સાથેના કથિત પ્રેમસબંધનો કરુણ અંજામ આવ્યો હતો. ડોક્ટર વૈશાલી જોષીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં જ આત્મહત્યા કરતાં સમગ્ર શહેરમાં ઉહાપોહ જોવા મળ્યો હતો. આ કેસમાં આત્મહત્યા કરતા પહેલા ડોક્ટર વૈશાલીએ સુસાઈડ નોટમાં પીઆઈ બી.કે.ખાચરના કારણે આત્મહત્યા કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદથી બી.કે.ખાચર ફરાર છે અને ગાયકવાડ પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોના નિવેદન લીધા સિવાય આરોપી સામે કોઈ જરૂરી કાર્યવાહી કરી નથી. એક મહિલા ડોક્ટરે પોલીસ ઇન્સ્પેક્ટર સાથેના સંબંધોના કારણે આત્મહત્યા કરી. ત્યારે સુરતમાં આજે મહિલા કોન્સ્ટેબલે પણ આત્મહત્યા કરી તેમાં પણ પ્રેમસંબંધ કારણભૂત હોવાની પોલીસને શંકા છે.
આ પણ વાંચોઃ Punjab Crime News/લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીની પરિવારજનોએ જ કરી હત્યા, પોલીસ કરી રહી છે ગુનેગારોની શોધખોળ
આ પણ વાંચોઃ Breaking News/પશપુતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, સીટ શેરિંગ મામલે ભાજપ અને ભત્રીજા ચિરાગ સાથે બગડયા સંબંધો
આ પણ વાંચોઃ Breaking News/મોટા સમાચાર, રાહુલ અને પ્રિયંકા યુપીથી નહીં લડે લોકસભાની ચૂંટણી