ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે દલિત સરપંચની હત્યાના મુદ્દે ચર્ચાની માગ કરીહતી, અને શાસક્ષ પક્ષ દ્વારા તે નહિ સ્વીકારવામાં આવતા કૉંગ્રેસ દ્વારા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. દલિત સરપંચની મદ્દે કૉંગ્રેસે ચર્ચાની માંગ કરી હતી. જે ના સ્વીકારવામાં આવતા વિરોધપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
આણંદનમાં એક દલિત સરપંચની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તેના આરોપીને પકડવામાં લીસ તંત્ર નિષ્ફળ ગયુ હતું જેથી પરિવાર જનોએ તેના મૃતદેહને સ્વિકારવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. અને આરોપીના પકડાવાની જીદ્દ કરી હતી. ગુન્હામાં એક આરોપી ઝડપાઇ જતા કલેક્ટરની સમજાવટથી સમાધાન કરવામાં આવ્યું હતું.