રાજકોટ સહિત ગુજરાતનાં તમામ નગરોની સરકારી કચેરીઓ કોરોનાનાં ટાર્ગેટ પર હોય તેવી રીતે કોરોનાનાં કહેર રાજ્યભરની સરકારી ઓફિસોમાં નોંધવામાં આવી રહ્યો છે અને આ કહેરમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને તેની સરકારી ઓફિસો પણ બાકાત નથી.
વાત વિદિત છે કે, CMO સહિતની અનેક ઓફિસોનાં કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અરે ફક્ત સરકારી ઓફિસો જ નહી ભાજપનું મુખ્યાલય કમલમ્ પણ કોરોનાનાં કહેરનો શિકાર બની ચૂક્યું છે, ત્યારે ફરી ગાંધીનગરની વઘુ એક સરકારી ઓફિસ કોરોનાની ઝપેટમાં આવી ગઇ હોવાની વિગતો સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે.
મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર દ્રારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે ગાંધીનગર સ્થિતિ સચિવાલયના 8 કર્મયોગીઓને કોરોના પોઝિટિવ નોંધવામાં આવ્યો છે. સચિવાલયના 729 કર્મયોગીઓનો ટેસ્ટ કરાયો હતો અને તેમાથી 8 કર્મયોગીઓનાં કોરોના પોઝિટિવ આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….