ગૃહમંત્રી અમિત શાહે બિહારમાં આવનારા સમયમાં આવી રહેલી ચૂંટણીને લઇને રવિવારે વર્ચુઅલ રેલીમાં પોતાની વાતને બિહારની જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. જેના પર હવે રાહુલ ગાંધીએ શાયરીનાં અંદાજમાં ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધીએ અમિત શાહનાં એક નિવેદન જેમા તેમણે કહ્યું હતું કે, અમેરિકા અને ઇઝરાઇલ પછી જો કોઈ દેશ તેની સરહદોનું રક્ષણ કરવામાં સક્ષમ છે, તો તે ભારત છે અને આ સમગ્ર વિશ્વ તેને સ્વીકારી રહ્યું છે.
અમિત શાહનાં આ જ નિવેદનને ટ્વિટર પર શેર કરતા રાહુલ ગાંધીએ કવિતા લખી હતી. તેમણે લખ્યું, “દરેક વ્યક્તિ ‘સીમા‘ની વાસ્તવિકતા જાણે છે, પરંતુ, હૃદયને ખુશ રાખવા‘ શાહ-યદ ‘આ સારો વિચાર છે.‘ રાહુલ ગાંધીએ અમિત શાહ પર ટિપ્પણી કરવા ગાલિબની કવિતામાં ફેરફાર કરીને ઉપયોગ કર્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે અત્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ છે. પરિસ્થિતિ એટલી હદે પહોંચી ગઈ કે ચીની સૈનિકોએ સરહદ પર મોરચો સંભાળી લીધો છે. ખુદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે ચીની સૈનિકો મોટી સંખ્યામાં બોર્ડર પર આવ્યા છે. બીજી તરફ, એવા સમાચાર આવ્યા હતા કે ચીની સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશ્યા છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ આ અંગે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. તે પહેલા રાહુલ ગાંધીએ ચીનનાં મુદ્દા પર સરકારનાં મૌન અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.