કેન્દ્ર સરકારે પોતાની એડવાઇઝરીમાં રાજ્યોને જણાવ્યું હતું કે, દરેક કિસ્સામાં એફઆઈઆર ફરજિયાત છે. આ સિવાય કેન્દ્રએ આઈપીસી અને સીઆરપીસીનાં વિભાગોની જોગવાઈઓ ગણાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ગૃહમંત્રાલયે ચેતવણી આપી છે કે, મહિલાઓનાં ગુનામાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવે. આ સિવાય જો ગુનો પોલીસ સ્ટેશનની હદની બહારનો હોય તો કાયદામાં ‘ઝીરો એફઆઈઆર‘ ની જોગવાઈ પણ છે.
નોંધપાત્ર વાત એ છે કે હાથરસમાં સામૂહિક બળાત્કાર અને હત્યા બાદ લોકો પીડિતાને દેશભરમાં ન્યાય અપાવવા માટે વિરોધ કરી રહ્યા છે. આ સિવાય વિપક્ષે પણ આ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા હવે કેન્દ્ર સરકારે મહિલાઓનાં ગુના સામે મોટો નિર્ણય લેતા રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે. જેમા જણાવાયું છે કે આઈપીસીની કલમ 166 એ (સી) હેઠળ એફઆઈઆર દાખલ ન કરવા બદલ અધિકારીને સજાની જોગવાઈ છે. આ સિવાય ગેંગરેપ સંબંધિત કેસોમાં ગૃહમંત્રાલયે એક ઓનલાઇન પોર્ટલ બનાવ્યું છે જ્યાંથી આવા કેસો પર નજર રાખવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.