સમગ્ર દુનિયા હાલમાં કોરોના વાયરસ સામે લડી રહી છે, તમામ પ્રયાસો છતાં તેનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો, ભારતમાં પણ કોરોના દર્દીઓ ઝડપથી વધી ગયા છે, ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 1,25,101 થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી વધુ નવા કેસ જે દેશમાં સામે આવ્યા છે, તેમા અમેરિકા, રશિયા અને બ્રાઝિલ પછી ભારતનો નંબર છે. વળી ભારતમાં સૌથી વધુ કોરોનાનાં દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. આ વચ્ચે બોલિવૂડથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે, જાણીતા અભિનેતા કિરણ કુમારને કોરોનાએ પોતાની ઝપટમાં લીધા છે.
કિરણ કુમાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, આ વિશે કિરણ કુમારે ખુદ મીડિયાને જણાવ્યું છે કે, 14 મે નાં રોજ તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારથી તેઓ પોતાના ઘરમાં ક્વોરેન્ટાઇન છે, તેમનો આગામી કોવિડ-19 ટેસ્ટ 25 મે નાં રોજ થશે. કિરણ કુમારે કહ્યું કે તેમના ઘર પર બે માળ છે, તેમની પત્ની અને બાળકો પહેલા માળે રહે છે અને તેમણે પોતાને ઉપરનાં માળે અલગ કરી દીધા છે. પરિવાર સાથે ફોન પર વાતચીત થાય છે. કિરણ કુમારે કહ્યું કે મુશ્કેલ સમય છે પરંતુ આ સમયે દરેકને પોઝિટિવ રહેવાની જરૂર છે. કિરણે કુમારે કહ્યું કે, તેમને કોઈ કફ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ નહોતી, ન તો તેમને બોલવામાં અને ચાલવામાં તકલીફ થઇ રહી હતી. પરંતુ જ્યારે તેમણે પોતાનો એક ટેસ્ટ કરાયો ત્યારે તે બહાર આવ્યું કે તેમને કોરોના થયો છે.
આપને જણાવી દઇએ કે, હિન્દી ફિલ્મ અભિનેતા જીવન કુમારનાં પુત્ર કિરણ કુમારે તેમની કારકિર્દીની પહેલી ફિલ્મ માટે ખ્વાજા અહેમદ અબ્બાસની ‘દો બૂંદ પાની‘ કરી હતી, પરંતુ તેમને ઓળખ મળી ખલનાયકની ભૂમિકાથી, ‘ખુદગર્ઝ‘, ‘તેજાબ‘ અને ખુદા ગવાહ જેવી ફિલ્મોએ તેમના કેરિયરને નવી ઓળખ આપી. કિરણ કુમારે મરાઠી, હિન્દી, ગુજરાતી અને ભોજપુરી સિનેમામાં પણ હીરો અને વિલનની ભૂમિકાઓ ભજવી છે, જ્યારે બીજી બાજુ તે ટીવી પર પણ સક્રિય છે, તેમણે ફિલ્મોમાં પાત્ર ભૂમિકાઓ ભજવી હેડલાઇન્સ પણ બનાવી છે, જેમાં ‘ધડકન‘ અને ‘મુજસે દોસ્તી કરોગે‘ જેવી ફિલ્મ્સનું નામ આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.