વિશ્વ સહિત દેશભરમાં જ્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોના સામેની લડાઇમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ પણ શિકાર બની રહ્યા છે, ત્યારે કોરોના સામે લડવા ભારતીય રેલવે દ્વારા એક નવું શસ્ત્ર ઉપયોગમાં લાવવામાં આવ્યું છે. જી હા, ભારતીય રેલવેએ લોન્ચ કર્યો રોબો ‘કેપ્ટન અર્જૂન’. રોબો કેપ્ટન અર્જૂન હવેથી ભારતીય રેલવેમાં મુસાફરી કરતા અને કરવા આવતા મુસાફરોનું ટેમ્પરેચર માપશે. આ રોબો મુસાફરોને માસ્ક પણ વહેંચશે. આપને જણાવી દઇએ કે, આ રોબો કેપ્ટન અર્જૂન સેન્સર આધારિત સેનેટાઈઝ સિસ્ટમથી સજ્જ છે. ભારતીય રેલવે દ્વારા પોતાનાં રેલવેકર્મીઓને જોખમ ન લેવું પડે તે હેતુંથી જ રોબો કેપ્ટન અર્જૂનનો ઉપયોગ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….