ઉત્તરાખંડમાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદ બાદ પુર જેવી સ્થિતિ સર્જાય ગઈ છે તો બીજી તરફ જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવો જ એક કિસ્સો ઉત્તરાખંડના હરિદ્વારમાં જોવા મળ્યો. હરિદ્વારના શ્યામપુર વિસ્તારની કોટા વાલી નદીમાં 50થી વધુ મુસાફરોને લઈ જતી બસને વહી જવાથી બચાવી લેવામાં આવી છે. ભારે વરસાદ બાદ નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો હતો.
નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં બસના ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે બસ નદીમાં વહેવા લાગી હતી. નદીના વહેણ વચ્ચે બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. નદીમાં ફસાયેલા બસના મુસાફરોએ મદદ માટે બૂમો પાડી હતી. કંટ્રોલ રૂમને જાણ કર્યા બાદ ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. બસ રૂપડિયા ડેપોની હતી અને હરિદ્વાર તરફ આવી રહી હતી.
તો બીજી તરફ ઉત્તરાખંડમાં વરસાદ બાદ 250 રસ્તાઓ પર વાહનવ્યવહાર થંભી ગયો છે. નૈનીતાલ-કર્ણપ્રયાગ હાઇવે ગેરસૈન નગરથી પાંચ કિમી દૂર કાલીમાટી ટી એસ્ટેટ નજીક, કાલીમાટી ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે વહેતા પાણી અને કાટમાળને કારણે અવરોધિત થયો છે. જેના કારણે ગ્રીષ્મકાલીનની રાજધાની ગેરસૈનથી કર્ણપ્રયાગ, જિલ્લા મુખ્યાલય ગોપેશ્વર અને દેહરાદૂનનો સીધો માર્ગ સંપર્ક તૂટી ગયો છે.
નાળાની ઉંડાઈના કારણે હાઈવે ખુલ્લો કરવામાં સમય લાગી શકે છે. આ વિસ્તારમાંથી કર્ણપ્રયાગ તરફ જતો આ એકમાત્ર રસ્તો છે. શુક્રવારે હાઇવે એકાએક પાણી ભરાઇ જવાના કારણે બંને તરફ વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. લોકો હાઈવે ખુલવાની રાહ જોતા રહ્યા. પરંતુ જ્યારે અધિકારીઓએ કહ્યું કે સમય લાગી શકે છે, ત્યારે તેઓ નારાજ થઈ ગયા. NH JE આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે રસ્તાના સમારકામ માટે બે JCB તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ વાદળ ફાટ્યા, મોટાપાયે પૂર આવ્યા
આ પણ વાંચો:મણિપુરમાં ઈન્ટરનેટ શરૂ થતાંની સાથે જ આ ગેંગ થઈ ગઈ સક્રિય, પોલીસે બનાવ્યો ખાસ પ્લાન
આ પણ વાંચો:PM મોદી શનિવારે રોજગાર મેળામાં 70,000 યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કરશે
આ પણ વાંચો:ઓડિશાના બાલાસોરમાં કેવી રીતે થઇ ટ્રેન દુર્ઘટના!, રેલવે મંત્રીએ બતાવ્યું સાચું કારણ…જાણો