જામનગરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને પાછલા દિવસોમાં એટલા કેસ સામે આવ્યા છે કે, જામનગરમાં લોકો દ્વારા ફરી લોકડાઉન અમલી કરી દેવામાં આવ્યું છે. તંત્ર પણ વઘતા જતા કેસના કારણે દોડતું થઇ ગયુ છે અને તમામ શક્ય પગલા ભરવામાં આવી રહ્યા છે, છતા કોરોના પોતાનો સકંજો કસતો જોવામાં આવી રહ્યો છે. જી હા આજે કી જામનગરમાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે.
ગઇકાલ સાંજથી આજ સવાર સુઘીમાં જામનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ નોંધાયા હોય લોકો ફફડી રહ્યા છે. વાલકેશ્વરી નગરી વિસ્તારના 28 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો સાથે સાથે લાલપુરના 62 વર્ષિય વૃદ્ધને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગર જીલ્લામાં શહેર અને ગ્રામ્ય સ્તર પર કેસ વધી રહ્યા હોવાનાં કારણે તંત્ર પણ ચિંતીત સ્થિતિમાં જોવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….