જૂનાગઢના માળીયાહાટીના ભાખરવડ ડેમ નદીના કાંઠે કુવામાથી અજાણ્યા યુવકની લાશ મળવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય મૃતક અજાણ્યા યુવકના જમણા પગે પથ્થર બાંધેલ હાલત મળી હતી અને ફાયરબ્રિગેડની ટીમે લાશ બહાર કાઢી હતી.
ફાયરબ્રિગેડ દ્વારા અજાણ્યા યુવકની લાશને બહાર કાઢી મૃતદેહને પીએમ અર્થે માળીયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. આ અજાણ્યા યુવાને આપઘાત કયા કારણોસર કર્યો તે અંગે કોઈ જાણકારી બહાર આવી નથી, બીજી તરફ આ મામલે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….