તાજેતરમાં જ બે રેલ દુર્ઘટના પછી મહારાષ્ટ્રમાં તિતવાલા પાસે વધુ એક દુર્ધટના સર્જાઈ છે.જેમાં નાગપુર-મુંબઈ દૂરંતો એક્સપ્રેસના 5 ડબ્બા સવારે પાટા પરથી ઉતર્યા હતાં.જેમાં કેટલાક પેસેન્જરો ઘાયલ થવાની જાણકારી મળી રહી છે.
વરસાદને કારણે ટ્રેકની માટી ધોવાઈ જતાં સવારે 6વાગે 40મિનીટે આસનગાંવ-વાસિંદા ખાતે દુર્ધટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે.દુર્ઘટનામાં ઘાયલ થયેલા યાત્રીની સારવાર અર્થે કલ્યાણથી રેક્યુટીમ પહોંચી છે.હાલની પરિસ્થિતીમાં આસપાસના લોકો મદદ માટે પહોંચ્યા છે.ડબ્બાંમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરુ કરાઈ છે.આ ઘટના સર્જાતા સેન્ટ્રલ રેલવે દ્વારા હેલ્પનંબર જાહેર કરાયો છે.