આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે, ત્યારે દુર-દુર થી માં અંબાના દર્શન કરવાં માટે અંબાજી શકિતપીઠમાં ભક્તો આવે છે. શક્તિ ,ભક્તિ અને આસ્થાના સંગમ અંબાજી શક્તિપીઠ માઈ ભક્તોનું લોકપ્રિય તીર્થ છે.
નવરાત્રીનો અંતિમ દિવસે આજે રિલાયન્સના નીતા અંબાણીએ પોતાના પરીવાર સાથે અંબાજી શક્તિપીઠ આવી અંબાજીમાના દર્શન કર્યા હતા.
આજે નીતા અંબાણી દાંતા હેલીકૉપટરથી ઉતરી દાંતાથી અંબાજી મોટરમાર્ગે અંબાજી આવ્યા હતા તેમની સાથે તેમના પરીવારના સભ્યો પણ હાજર હતા તેવો બપોરે 12 વાગે અંબાજી મંદિરમા દર્શન કરવા આવ્યા હતા.અને ત્યાંના વહીવટદારોએ તેમનું સ્વાગત કર્યું હતું.