ગુજરાતમાં આરોગ્ય – પોલીસ – સમાજસેવકો બાદ હવે કોરોનાની ઝપેટમાં ન્યાયતંત્ર પણ ચડ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, વડોદરાથી કચ્છ આવેલા ન્યાયાધીશ કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો સામે આવી રહી છે.
વડોદરાથી કચ્છ આવેલા ન્યાયાધીશ હાલ ગાંધીધામના સર્કિટ હાઉસ ખાતે મુકામ કરતા હોવાનાં કારણે ગાંધીધામના સર્કિટ હાઉસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે ન્યાયાધીશના સંપર્કમાં આવેલા સ્ટાફને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. અદાલતી સ્ટાફની સાથે સાથે કચ્છ પોલીસ કર્મચારીઓને પણ કવોરન્ટાઇન કરાયાં છે. તો સર્કિટ હાઉસને નગરપાલિકા દ્વારા પૂર્ણ રીતે સેનેટાઈઝ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….