નવરાત્રી પર્વે માર્કેટિંગ કરવા માટે એક કંપનીએ અજીબો ગરીબ તરકીબ અપનાવી છે. એક કોન્ડોમ કંપની દ્વારા વડોદરા સહિત રાજ્યભરમાં બીભત્સ વાક્ય લખેલાં વિવાદિત હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગ્સમાં લખ્યું છે, “આ નવરાત્રીએ રમો પણ પ્રેમથી”. પંરતુ આ વિવાદિત હોર્ડિંગ્સનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ શબ્દો નવરાત્રીના પૂર્વને ઝાંખપ લગાડતા હોવાથી શહેરીજનો અને હિંદુ જાગરણ સમિતિ દ્વારા એડવર્ટાઇઝમેન્ટ એજન્સી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધના કારણે વડોદરામાંથી હોર્ડિંગ્સ ઉતારાવી દીધાં હતાં, પરંતુ સુરત અને અમદાવાદમાં હોર્ડિંગ્સ હજી પણ યથાવત છે. આ જોતા હિંદુ જાગરણ સમિતિએ વહેલી તકે ઉતારવામાં નહીં આવે તો હોર્ડિંગ્સની હોળી કરાશેની ચીમકી આપી છે. આ ઉપરાંત આ હોર્ડિંગ્સનો સોશિયલ મીડિયા પણ યંગસ્ટર્સે પણ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.