ઉપવાસ આપની ભક્તિ દેખાડવા ઉપરાંત સારો સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા માટે પણ રાખવામાં આવી શકે છે. આ આપના શરીરને સાફ અને શુદ્ધ કરે છે અને મહત્વનાં અંગોને આરામ આપે છે.
હવે જ્યારે નવરાત્રિ આડે કેટલાક જ દિવસો રહી ગયા છે, ત્યારે આપે ઉપવાસ રાખવામાં ઇનકાર ન કરવો જોઇએ કારણ કે આનાથી આપને જ ફાયદો થશે.
આવો જાણીએ ઉપવાસ રાખવાથી શરીરને શું આરોગ્ય લાભો મળે છે..
- બહુ બધાં ફળો ખાવો કે જે લીવરમાંથી કોલેસ્ટ્રોલને ફ્લશ કરે. કોલેસ્ટ્રોલને ઓછુ રાખવામાં સફરજન, નારંગી, પપૈયુ, જામફળ, દાડમ, લિંબુનો રસ અને નાશપાતી વિશેષ રીતે મદદ કરે છે.
- લિંબુનો રસ હુંફાળા પાણીની સાથે દરરોજ સવારે લો, આનાથી શરીર સારી રીતે સાફ થશે.
- આખું ક્રીમ વાળુ દૂધ અથવા ગાઢું દૂધ લેવાથી બચો. આ આપની આળસનું કારણ બની શકે છે.
- કિશમિશ સાથે બદામ રાત્રે જ પલાડીને મૂકી દો અને સવારે એને ખાઓ, આનાથી આપના શરીરમાં ખનિજોનું પ્રમાણ વધશે
- જે લોકો નવરત્રિમાં વજન ઓછુ કરવાનો વિચાર કરી રહ્યા છે, તેમને દુધી, કદ્દૂ અને ફળો જેવા કે સફરજન, નાશપાતી, કાકડી, ફૂલ મખાણા, બફાયેલા બટાકા ખાવાની સલાહ આપવામાં આવે છે.
- વિટામિન એ, બી અને સીથી સમૃદ્ધ શાકભાજી લો. એક શાકભાજીનો રસ જેમ કે, દુધી, ટામેટા, સફરજન અને આદુનાં રસને મેળવીને સેવન કરવું જોઈએ.