પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ભારતીય ટીમના હેડકોચની નિમણુંક અંગે ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં સહેવાગે જણાવ્યું, તેની બીસીસીઆઈમાં કોઈ સેટિંગ ન હતી તેથી તે કોચ ન બની શક્યો. વધુમાં જણાવતા કહ્યું, મેં કોઈ પોતાની મર્જીથી કોચ માટે અરજી નહોતી મોકલી, બીસીસીઆઈના મેમ્બર્સના કહેવા પર જ આ પોસ્ટ માટે આરજી મોકલી હતી.
મહત્વનું છે કે, જુન ૨૦૧૭ માં પૂર્વ કપ્તાન અનિલ કુંબલેના રાજીનામાં બાદ જુલાઈમાં ભારતીય ટીમના હેડકોચ તરીકે રવિ શાસ્ત્રીની નિયુક્તિ કરી હતી.