ભાવનગરમાં યુવક અને યુવતી દ્વારા આપઘાત કર્યાની ઘટના સામે આવી રહી છે. ભાવનગરનાં સણોસરા ખાતે યુવક અને યુવતી દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. મરણજનાર યુવક અને યુવતી બન્ને પ્રેમી પંખીડા હોવાની લોકોમાં ચર્ચા સંભળાઇ રહી છે.
હચમચાવી દેતી આત્મહત્યાની આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે ભાવનગરનાં સણોસરા ગામે મહારાજના ડેલામાં ઝાડ સાથે લટકતા બે મૃતદેહો સાથે મળી આવ્યા હતા. આપઘાતની આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મરણજનાર યુવક-યુવતી બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને આ પ્રાથમીક રીતે પ્રેમ સબંઘમાં આત્મહત્યા જ કરવામાં આવી છે કે આ ઘટના પાછડ બીજુ કશું છે તે પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….