આજથી દેશના રેલ્વે ઈતિહાસમાં ટ્રેન યુગનો નવો ઉદય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિન્જો આબેએ સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું.
ખાતમુહૂર્ત બાદ બંને વડાપ્રધાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. જેમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ જય ઈન્ડિયા અને જય જાપાન બનાવી બુલેટ ટ્રેનનો વિકાસ કરવાની અને ભારત સાથેના સંબંધ વધુ ગાઢ બનાવવાની વાત કરી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બુલેટ ટ્રેન ભારતના વિકાસની નવી દિશા બનશે અને સુદ્રઢ પાયો નખાયો હોવાનું જણાવ્યું હતું.