મોદી મંત્રીમંડળમાં રવિવારે એટલે કે 3 સપ્ટેમ્બરે મોટી ફેરબદલી થવા જઈ રહી છે. તો નવા કાર્યભાર સાથે મંત્રીઓ સવારે 10 વાગ્યાના અરસામાં શપથગ્રહણ કરશે. ઉલ્લેખનીય છે કે મોદી મંત્રીમંડળનું આ ત્રીજુ વિસ્તરણ છે. મહત્વનું છે કે હજુ સુધી કયા મંત્રીનો મોદી મંત્રીમંડળમાં સમાવેશ થશે અને કયા મંત્રીની બાદબાકી થશે તે હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે મંત્રીમંડળમાં થનારો બદલાવ ‘P&N’ ફોર્મ્યુલાના આધાર પર થશે.