કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરતી મોસ્કોની કોવિડ -19 હોસ્પિટલમાં લાગેલી આગમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું અને 200 જેટલા અન્ય દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
શહેરના ઉત્તર ભાગની એક હોસ્પિટલમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી. હોસ્પીટલના વોર્ડમાં આગ લાગી હતી જ્યાં કોરોના વાયરસના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.
મેયર સેરગેઈ સોબિઆનિને એક દર્દીના મોતના સમાચારની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, જે દર્દીઓને બહાર કાઢવામાં માં આવ્યા છે તેઓને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવશે. કોવિડ -19 માં કેટલા દર્દીઓ સંક્રમિત થયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.