આ સમયે રાજકોટ શહેર પોલીસ તેમજ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા વચ્ચે બોલાચાલી થઇ હતી. રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ને કોરોના વાયરસ મામલે આવેદન આપે તે પહેલાં જ રાજકોટ શહેર પોલીસ દ્વારા તેમને બાનમાં લેવામાં આવ્યા હતા. જે સમયે વશરામ સાગઠિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટેસ્ટ ન થતા કોરોના સંક્રમણ વધ્યું છે. ગુજરાતમાં સરકાર અને તંત્ર ‘પેપર ટાઇગર’ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.