Gandhinagar News: રાજ્યમાં ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગે ઠરાવ પસાર કર્યો છે. જેમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને થવાનો છે. આ ઠરાવને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પસાર કરવામાં આવ્યો છે.
જેમાં હવે વિદ્યાર્થીઓ કામની સાથે સાથે ફૂલ ટાઇમ કોર્સ કરી શકશે એટલે કે હવે વર્કિંગ પ્રોફેશનલ ફૂલ ટાઇમ કોર્સ કરી શકશે. અગાઉ વર્કિંગ પ્રોફેશનલ માટે ફક્ત સાંજની બેંચ ચલાવવામાં આવતી હતી પરતું શિક્ષણ વિભાગના ઠરાવ બાદ હવે તેઓ વર્કની સાથે સાથે પણ આ કોર્સનો લાભ ઉઠાવી શકે છે. આ ઉપરાંત એન્જીનીયરીંગ કે જે ફૂલ કોર્સ છે તેમાં હવે ડીપ્લોમાં અને ડીગ્રી કોર્સ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
આ સાથે વિદ્યાર્થીઓને એડમીશનને લઈને પણ ઠરાવમાં વાત કરવામાં આવી છે જેમાં પોલિટેક્નિકસ-ઈજનેરી કોલેજોમાં સીટ ફાળવવા સૂચના કરાઈ છે. આ ઉપરાંત AICTE ના નવા નિયમો મુજબ અભ્યાસક્રમ શરુ કરાશે.
આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..
આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…
આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી