કોરોના વાઈરસ અને અતેના પગલે ચાલીરહેલા લોક ડાઉનમાં સૌથી વધુ કફોડી હાલત પરપ્રાંતીય શ્રમજીવીઓની બની છે. લોક ડાઉન ને પગેલ બેકાર બનેલા શ્રમિકોને બે ટાઈમ ખાવાના ફાફા પડી રહ્યા છે. અંતે ઘરે જવા માટે રઘવાયા બનેલા પરપ્રાંતીય મજૂરોએ રાજકોટ ખાતે વતન જવાની વ્યવસ્થા કરી આપવાની માગણી સાથે ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અધિકારીઓ દ્વારા મજૂરો સાથે વાતચીત હાથ ધરાઈ છે. ગઈ કાલે 80 ફૂટ રોડ પર મજૂરો ભેગા થયા હતાં અને રોડ બ્લોક કર્યો હતો. અત્રે જણાવવાનું કે મજૂરોને વતન જવા ટ્રેન શરૂ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.