- રાજ્યમાં ફરી એક વખત બદલી
- ગુજરાત સરકારના 79 અધિકારીઓની બદલી
- સામાન્ય અને વહીવટી વિભાગના આદેશ
- 79 નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી
- સામાન્ય અને વહીવટી વિભાગના આદેશ
રાજ્યના 79 ડેપ્યૂટી કલેક્ટરોની તાત્કાલિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે કલેક્ટરોની બદલીઓ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારી, અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આજે (બુધવાર) ઢળતી સાંજે 79 કલેક્ટરોની બદલી કરવામાં આવી છે.