કોરોના વાયરસને રોકવા માટે લાગુ લોકડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. વડા પ્રધાન ‘મન કી બાત‘માં શનિવારે સાંજે જાહેર કરેલા Unlock-1 વિશે પણ વાત કરી શકે છે. જૂન 1 થી શરૂ થતાં પાંચમા લોકડાઉન વચ્ચે ઘણી છૂટછાટો આપવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનાં ચેપનાં ફેલાવાને રોકવા 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનનો ચોથો તબક્કો હાલમાં અમલમાં છે, જે 31 મે સુધી ચાલુ રહેશે.
આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 65 મી ‘મન કી બાત‘ હશે. પીએમ મોદી દર મહિનાનાં અંતિમ રવિવારે રેડિયો પર ‘મન કી બાત‘ કાર્યક્રમ કરે છે. આ દ્વારા વડા પ્રધાન લોકોને ઘણા મહત્વના મુદ્દાઓ પર સંબોધિત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.