@નિકુંજ પટેલ
ફરીદાબાદની ગ્રીનફિલ્ડ કોલોની સ્થિત એક ઓયો હોટેલમાં સોમવારે રાત્રે 24 વર્ષની પરિણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ અંગે સુરજકુંડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક યુવતીના ભાઈની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં મૃતકના એક સંબંધીને આરોપી બનાવવામાં આવ્યો છે.
મૃતક યુવતીના ભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે મુળ ઉક્કરપ્રદેશના મુરાદાબાદના શાહપુર ગાંમના રહેવાસી છે. તેઓ ભાડાના મકાનમાં પરિવાર સાથે મેવલા મહારાજપુરમાં રહેતા હતા. તેઓ છ બાઈ બહેન છે. સૌથી નાની બહેન પુનમના લગ્ન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા. છોડા સમય પહેલા પુનમ સાસરીમાંથી તેમના ઘરે આવી હતી.
સોમવારે સવારે 10 વાગ્યે પુનમને સંજીવે ફોન કરીને મળવા માટે ગ્રીનફિલ્ડ કોલોનીની એક ઓયો હોટેલમાં બોલાવી હતી. સંજીવ પુનમનો દુરનો સંબંધી છે. તે જ દિવસે સાંજે સંજીવે પુનમના ભાઈને ફોન કરીને કહ્યું હતું કે પુનમે કથિતપણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
રવિવારે રાત્રે ઓયો હોટેલમાંથી 24 વર્ષની યુવતીની લાશ મળતા આસપાસ રહેતા લોકોમાં ચકચાર મચી હતી. હોટેલ મેનેજરે આ બાબતની પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને લાશનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને તપાસ શરૂ કરી હતી.
ઘટના બાદ પોલીસે જણાવ્યું હતું કે યુવતી મેવલા મહારાજપુરમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તે કોઈ સાથે હોટેલમાં આવી હતી. રવિવારે રાત્રે અંદાજે 8 વાગ્યે પોલીસને હોટેલ મેનેજરે ફોન કરીને હોટેલના રૂમમાં યુવતીની લાશ પડી હોવાની માહિતી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે જોઈને તપાસ કરતા યુવતીનો મૃતદેહ બેડ પર પડ્યો હતો અને પાંચા સાથે ઓઢણી લગાવેલી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ