વડોદરા સ્વામિનારાયણ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદોનાં ઘેરામાં આવ્યું છે. વડોદરા કંડારી સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી સ્વામી સામે કરજણ પોલીસમાં અરજી થઇ છે. વડતાલ મંદિરને લઈ ફરી એકવાર મુદ્દો ઉઠ્યો છે. અને વડોદરા કંડારી સ્વામિનારાયણ મંદિરની ઘટના સામે આવી છે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી અને કંડારી સ્વામિનારાયણ મંદિરના સંસ્થાપક સામે કરજણ પોલીસમાં અરજી કરવામાં આવી છે. ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યા સબબ અરજી થતા સમગ્ર મંદિર અને સંપ્રદાયમાં સોંપો પડી જવા પામ્યો છે. જો કે, કરજણ પોલીસે અરજીનાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે તપાસમાં સાચું શું એ બહાર આવી જ જશે, પરંતુ હાલ તો અરજીનાં કારણે ફરી એક વખત વડોદરા કંડારી સ્વામિનારાયણ મંદિર અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં જોવામાં આવી રહ્યા છે.
જૂઓ આ વીડિયો અહેલાવ – કોઠારી સ્વામી સામે કરજણ પોલીસમાં અરજી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….