કોરોના કહેર વચ્ચે વડોદરાના એસઆરપી ગૃપના કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ જાડેજાએ રહસ્યમય સંજોગોમાં ચાદર વડે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે. તેમના આપઘાતના બનાવને પગલે એસઆરપી ગૃપ કવાટર્સમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મકરપુરા રોડ પર આવેલ એસઆરપી ગૃપમાં જયેન્દ્રસિંહ જાડેજા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેઓએ રાત્રી દરમિયાન ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ એસઆરપી ગૃપના અધિકારીઓને થતાં તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા એટલું જ નહીં આ બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવી હતી.
મકરપુરા પીઆઇ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોચ્યો હતો અને એસઆરપી જવાન જયેન્દ્રસિંહ જાડેજાના આપઘાતની કાયદેસરની કાર્યવાહી કરી તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી. આ આપઘાતનું કારણ જાણવાની પોલીસ દ્વારા ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.
મકરપુરા પોલીસ સ્ટેશનના PI આર.એ. પટેલે જણાવ્યું હતું કે, SRP ગૃપ-9ના કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ જાડેજાની બદલી સાબરકાંઠા જિલ્લાના મડાણાના ગ્રુપ-3 ખાતે થઇ હતી અને આજે તેમને ત્યાં હાજર પણ થવાનું હતું. જોકે તે પહેલા જ તેમને આપઘાત કરી દીધો હતો. અમે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.