કોરનાનાં કહેરના કારણે વિશ્વભરમાં લોકો પોતાના દેશથી વછુટી બીજા દેશોમાં ફસાયેલા છે. આવી જ રીતે ભારતનાં પણ અનેક નાગરીકો બીજા દેશમાં ફસાયેલા છે. ભારત સરકાર દ્વારા પોતાના લોકની ચિંતા કરી પોતાના લોકોને પોતાનાં વતન લાવવા માટે મહત્વનુ પગલુ લેવામાં આવ્યું છે. જી હા, યુદ્ધના સમયે યુદ્ધ અને શાંતીનાં સમયે સેવાનાં મહામત્રને વહન કરતી ભરતીય નૌસેના દ્વારા પોતાના લોકોને પોતાના વતન પરત લાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે ઓપરેશન ‘સમુદ્ર સેતુ’
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ અંતરગત ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો બે જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ સાથે માલદીવ્સની રાજધાની ‘મેલ’ બંદર પર જવા માટે રવાના થઇ ચૂક્યા છે.
કોવિડ-૧૯ સાથે સંકળાયેલા પડકારોને ધ્યાનમાં રાખીને આ સમગ્ર યાત્રા માટે કડક પ્રોટોકોલ પણ નિર્ધારિત કરાયા છે. ફસાયેલા તમામ ભારતીય નાગરીકોને મેડિકલ સ્ક્રીનીંગ બાદ જ જહાજમાં એન્ટ્રી મળશે. જહાજમાં જરૂરી મેડિકલ સુવિધાઓની સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે વિગેરે પ્રાટોકોલ્સનું ચૂસ્ત પણ પાલન કરવામાં આવશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન