અમદાવાદનાં સુરેશ શાહ હત્યા કેસનાં મુખ્ય આરોપી રાજુ શેખવા પર સરકારની તવાઈ. આપને જણાવી દઇએ કે, હત્યાનો મુખ્ય રાજુ સરકારી કર્મચારી છે. અને રાજુ શેખવા પર અત્યાર સુધીમાં પાંચ ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. એ.સી.બીમાં રાજુ શેખવા વિરોધમાં અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે.
કુખ્યાત રાજુ શેખવા સૌરાષ્ટ્રમાં વગ ધરાવે છે. પૂર્વે રાજુ પર ખંડણી સહિતનાં ગંભીર ગુનાઓ દાખલ થયા છે. આરોપીએ તેના પરિવારજનોના નામે કરોડો રૂપિયાની મિલકત ખરીદી અને વસાવી હોવાની વિગતો વિદિત છે, ત્યારે અમરેલી એસ પી દ્વારા એ સી બી માં રિપોર્ટ કરવામાં આવતા સરકાર દ્વારા આ મામલે ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….