લોકસભા 2019નો ચૂંટણી જંગ પોતાનાં સાતમાં અને અંતિમ ચરણમાં આવી પહોંચ્યો છે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકોનાં મહા મુકાબલાનાં પ્રચાર પડધમાં શાંત થઇ ગયા છે. 59 બેઠકો પર ચૂંટણીમાં લડી રહેલ લગભગ તમામ પાર્ટીઓએ જોરશોરથી પ્રચાર કરી પોત પોતાનાં ઉમેદવારોને જીતાવવા માટે કમરકસી હતી. પ્રચાર અને પ્રચારમાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપોએ આ ચૂંટણીમાં હદ વટાવી નાખી છે પરંતુ જો વાત કરવામાં આવે સાતમાં તબક્કાનાં પ્રચારની તો સાતમાં તબક્કામાં તો પ્રચારમાં વાણી વિલાસ અને વાર પલટવારે લગભગ ભૂતકાળમાં ક્યારે પણ ન જોવા મળ્યા હોય તેટલા ઉછાળા સાથે રેકોર્ડ પણ રચ્યો હોય તો નવાઇ નથી.
ખાસ કરીનાં જ્યારે ભાજપ વિરૂધ તમામ પક્ષો એક થઇને ચૂંટણી લડી રહ્યા છે અને કોઇ પણ લહેર કે મુદ્દા વિહોણી આ ચૂંટણીમાં મતદારોનાં માનસ પલટા માટે તમામ પક્ષો અનેક પ્રકારના હથકંડા અજમાવતા જોવા મળ્યા હતા. સાતમાં તબક્કામાં પં.બંગાળ અને ખાસ કરીને ભાજપ અને તૃણામુલ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળ્યો હતો. મુકાબલો કરતા યુધ્ધ કહેવું વધું ઉચ્ચીત જણાય છે. BJP અને TMC બનેંનાં નેતાઓ દ્રારા પં.બંગાળ મામલે ધમાચકરડી મચાવવામાં આવી હતી. સામે બાકીનાં રાજ્યોમાં કોંગ્રેસ – મહાગઠબંધન અને ભાજપની સીધી ટક્કર જોવા મળી. ભાજપનાં સ્ટાર પ્રચારકો અને ખાસ કરીને PM મોદી, યોગી આદિત્યનાથ અને અમિત શાહની સીધી ટક્કર રાહુલ, પ્રિયંકા, મમતા, માયાવતી-અખિલેશ સામે પ્રચારમાં જોવામાં આવી. પ્રચાર દરમિયાન વિવાદીત નિવેદનો અને નિમ્નભાષાનો ઉપદ્રવ મતદારોએ ધ્યાનમાં લીધો જ હશે. તો હિસં પણ જોવા મળી હતી. તમામ વાતોની વચ્ચે કાગળનાં કહેવાતા ચૂંટણી પંચે પણ સંવિઘાનના અનુચ્છેદનો ઇતિહાસમાં પહેલીવાર ઉપયોગ કર્યો. તો ચૂંટણી પંચ ભાજપ તરફી હોવાનાં દાવા પણ જોવા મળ્યા હતા.
સાતમાં તબક્કામાં પં.બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ચંદિગઢ તેમ 8 રાજ્યોની 59 સીટોનો સમાવેશ થાય છે. જો રાજ્યવાર બેઠકની યાદી જોવામાં આવે તો…
પંજાબ – 13 બેઠકોમાં ગુરદાસપુર, અમૃતસર, ખદુર સાહેબ, જલંધર, હોસિયારપુર, આનંદપુર સાહેબ, લુધિયાણા, ફતેહગર સાહેબ, ફરિદકોટ, ફિરોજપુર, ભટીંડા, સંગ્રુર, પટીયાલાનો સમાવેશ થાય છે
ઉત્તર પ્રદેશ – 13 બેઠકોમાંમહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ધોસી, સાલેમપુર, બલિયા, ગાજીપુર, ચંદૌલી, વારાણસી, મિરઝાપુર, રોબર્ટ્સગંજનો સમાવેશ થાય છે
પં.બંગાળ – 9 બેઠકોમાં દમદમ, બારાસાત, બશીરહાટ, જોયનગર, મથુરાપુર, ડાયમંડ હર્બર, જોઘવપુર, ઉત્તર કોલકતા અને દક્ષિણ કોલકતાનો સમાવેશ થાય છે
બિહાર – 8 બેઠકોમાં નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરાસ, બક્સર, સાસારામ, કારાકટ, જહાનાબાદનો સમાવેશ થાય છે
મધ્ય પ્રદેશ – 8 બેઠકોમાંઉજ્જૈન, મંદસૌર, રતલામ, ધાર, ઇંદૌર, ખરગોન, ખંડવા, બેતુલનો સમાવેશ થાય છે
હિમાચલ પ્રદેશ – 4 બેઠકોમાં કાંગરા, મંડી, હમિરપુર, શિમલાનો સમાવેશ થાય છે,
ઝારખંડ – 3 બેઠકોમાં રાજમહલ, દુમકા અને ગોડ્ડાનો સમાવેશ થાય છે
ચંદિગઢ – 1 બેઠકોમાં ચંદિગઢનો સમાવેશ થાય છે
આમ તમામ 59 સીટોનાં ઉમેદવારોનું ભાવી 19 તારીખે મતદારો નક્કી કરશે ત્યારે આ તબક્કામાં PM મોદી સહિત ગુરદાસપુરથી અભિનેતા સન્ની દેઓલ, પટના સાહેબથી શત્રુધ્ન સિન્હા અને કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ, નવજોતસિંદ સિધ્ધુનાં પત્ની નવજોતકોર, કેપ્ટન અરમિંદરસિંહનાં પત્ની, પંજાબનાં દિગ્ગજ નેતા સુનિલ ઝાખર સહિતનાં તમામ દિગ્ગજ ઉમેદવારો સહિતનાં બધા ઉમેદવારોનાં ભાવી EVM માં શીલ થઇ જશે.