સુરતમાં દિનપ્રતિ દિન હત્યાના બનાવમાં સતત વધારો થી રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક પત્નીએ દૂરના દિયર સાથે મળીને પતિની હત્યા કરી હતી. જે બાદ આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો હતો.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પાંડેસરાનાં ગોવાલક રોડ પર ક્ષેત્રપાળ સોસાયટીમાં ભાડેના મકાનમાં ગૌરખ ભાનુપ્રસાદ ચૌહાણ પત્ની સાથે રહેતો અને મજૂરીકામ કરતો હતો. છેલ્લા થોડા સમયથી કામ ધંધો બંધ હોવાથી પત્ની મજૂરી કરી ગુજરાન ચલાવતી હતી. પતિ પત્નીને મારઝૂડ કરતો હતો. બે દિવસ પતિ-પત્નીનો ઝઘડો થયો અને પતિએ પત્નીને માર માર્યો હતો. જેના કારણે નજીકમાં રહેતો માસી સાસુનો દીકરો રાજેશ શત્રુઘ્ન પ્રસાદ દોડી આવ્યો હતો અને પતિને માર મારી પત્નીને તેના ઘરે લઈ ગયો હતો. બીજા દિવસે સવારે પત્ની ઘરે આવી તો પતિ પાછો તેને મારવા ઊભો થતા પત્નીને તેના હાથમાંથી લાકડાનો ફટકો લઈ તેને જ મારી દીધો અને તેવામાં પતિનો માસીના દીકરા રાજેશ પ્રસાદે તેને માર માર્યો અને મામલો બેભાનમાં થઈ ગયો જ્યારે આ મામલે પોલીસને જાણ થઇ તો પ્લીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
જેમાં યુવાનનું મોત ઈજાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તપાસ હાથ ધરતા પત્નીએ જ દૂરના દિયર સાથે મળી પતિની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
યુવાન ગૌરખના શરીર ઉપર નિશાન હતા અને ઘસરકાના પણ નિશાન મળતા પાંડેસરા પોલીસે શંકાને આધારે તેની પત્ની પુષ્પાદેવી અને તેમના ઘરની નજીક પ્લોટ નં.30 માં રહેતા ગૌરખના માસીયાઈ ભાઈ રાજેશ શત્રુઘ્ન પ્રસાદ સાથે પુછપરછ કરી તપાસ કરતા તેમના નિવેદન જુદા જુદા જણાયા હતા. આ દરમિયાન, પોસ્ટમોર્ટમમાં ગૌરખનું મોત ઇજાને કારણે થયું હોવાનો ખુલાસો થતા પોલીસે પુષ્પાદેવી અને તેના દૂરના દિયર રાજેશની ઉલટતપાસ કરતા બંનેએ ગૌરખની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.