કોરોના વાઈરસ ને કારણે ચાલી રહેલા લોક ડાઉનમાં સૌથી વધુ કફોડી હાલત પરપ્રાંતીય શ્રમિકોની થઇ છે. રોજ કમાઈ ને પેટીયું રળવા વાળી આપ્ર્જા ની હાલત હોબીના કુતરા જેવી બની ગયી છે. ધંધા રોજગાર બંધ થવાને કારણે પેટનો ખાડો પૂર્વના પણ ફાફા પડી રહ્યા છે. પરપ્રાંતીયોની સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારે વતન વાપસીની કેટલીક શરતોને આધીન છૂટછાટ આપેલી છે છતાં પરપ્રાંતીયોને સમસ્યા ખુબ જોવા મળી રહી છે. સુરતમાં પરપ્રાંતીયોની હાલત અત્યંત ખરાબ છે. લોકોને રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી મોકલવામાં આવી રહ્યાં છે. ધક્કા ખવડાવવામાં આવી રહ્યાં છે.
પાપ્ત વિગતો અનુસાર જે લોકો વતન પાછા ફરવાની આશામાં કલેક્ટર કચેરીએ પહોંચે છે તેમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. લોકોને ત્યાંથી ભગાડવામાં આવી રહ્યાં છે.
સુરત રેડ ઝોનમાં હોવા છતાં આજે જાણે લોકડાઉન ખુલી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં. હાલ લોકડાઉન 3.0 લાગુ છે. સરદાર બ્રિજ નજીક મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને રોડ પર દેખાયા. મહિલાઓ અને પુરુષો બાઈક અને કાર લઈને નીકળી પડેલા જોવા મળ્યાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.