રાજ્યમાં કોરોના વાયરસના કારણે અનેક લોકો બેરોજગાર બન્યા છે. જેને લઈને તેમનું ગુજરાન ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. આવામાં તણાવમાં આવીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા લોકો મજબૂર બન્યા છે. આવામાં સુરતમાં રત્નકલાકારોને તેમનું ગુજરાન ચલાવું વધુ મુશ્કેલ થઇ રહ્યું છે. શહેરમાં કોરોના મહામારીમાં ઘણા રત્નકલાકારોએ આપઘાત કરી લીધો છે. ત્યારે વધુ એક રત્નકલાકારે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના સરથાણાના અને મોટા વરાછાને જોડતા પુલ એક યુવાને આપઘાત કરવા પહોચ્યો હતો. જો કે સ્થાનિક લોકો જોઈ જતા આ યુવાને બચાવી લઇને પોલીસના હવાલે કર્યો હતો. આપઘાત કરવા આવેલો યુવાન રત્નકલાકાર હોવાનો ખુલાસો થયો છે.
જ્યારે આ યુવકની પૂછપરછ કરવામાં અવી ત્યારે યુવકે આર્થિક સંકડામણને લઇને આ પગલું ભરવા પહોંચ્યો હતો તેવું જણાવ્યું હતું.
આ મામલે પોલીસે આ યુવાનને સમજાવી પરિવારને સોંપ્યો હતો. જો કે આ યુવાન રત્નકલાકર હોવાની સાથે આર્થિક સંકડામણને લઇને આ પગલું ભરવા ગયો હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.