ગુજરાત રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોના ને લઈને ગત 16 માર્ચથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ પડ્યું છે. ત્યારે નાવાસ્ત્રમાં પણ કોરોના ને લઈને શાળાઓ ચાલુ થઈ શકી નથી. ત્યારે શાળા સંચાલક મંડળ અને વાલીઓ વચ્ચે શાળાની ફીને લઈને વિખવાદ ચાલી રહ્યો છે.
આજ રોજ ગાંધીનગર ખાતે આજે સાંજે 4 કલાકે મહત્વની બેઠક મળશે.જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેનદ્ર સિંહ ચૂડાસમા અને શિક્ષણ અધિકારી ઓ સાથે વાલીમંડળની બેઠક મળી હતી. પરંતુ તેમાં પણ કોઈ નિવેડો આવ્યો નથી. ઉપરથી નિવેડો આવે તે પહેલા જ વિખવાદ શરુ થી ગયો છે. શિક્ષણમંત્રીએ વાલીમંડળના અડધા સભ્યોને બોલાવ્યા હતા. પહેલી મિટીંગમાં વાલીમંડળના 7 સભ્યોને બોલાવ્યા હતા. પહેલી બેઠકમાં કમળ રાવલ હાજર રહ્યા હતા. અને તેમને જણાવ્યું હતું કે, આજની મિટીંગનો કોઇ અર્થ જ નથી. તો અન્ય સભ્યોએ પણ ઉપર આક્ષેપ કાર્ય હતા. તેમને કહ્યું હતું કે, નરેશ શાહ સરકારના માણસની જેમ વર્તન કરી રહ્યા છે. નરેશ શાહ પર મિલી ભગતનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. નરેશ શાહ શાળા સંચાલકો સાથે બેઠક કરી સરકાર સાથે બેઠક કરે છે. સર્કિટ હાઉસમાં સર્કિટ હાઉસમાં બેઠક કરે છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે હાલમાં શૈક્ષણિક કાર્ય બંધ પડ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ખાનગી શાળાઓને ફી નહીં વસૂલવા આદેશ કર્યો હોવા છતાંય સમગ્ર મામલો હાઈકોર્ટેમાં પહોંચ્યો હતો. ત્યારે હાઇકોર્ટે ના નિર્દેશ બાદ આજે સરકારના શિક્ષણ મંત્રાલય અને વાલી મંડળ સાથે બેઠક યોજાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.